Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દ્વારા
જામનગર તા. ૯: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખાતાદીઠ ટેકાના ભાવે વધુમાં વધુ ૨૦૦ મણ મગફળી ખરીદવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.પી. મારવીયાએ રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને ખેડૂતો પાસેથી ખાતાદીઠ ૩૦૦ મણ મગફળી ખરીદ કરવામાં આવે તેવી રજુઆત કરી છે.
ખરીદીના સમયે ભષ્ટાચાર ન થાય, ઉતારા, તોલમાપ-વજનમાં ગેરરીતિ ન થાય, બારદાનમાં સમાવવાનો પ્રશ્ન ન થાય, સમયસર નોંધણી પ્રમાણે ક્રમ મુજબ લેવામાં ખ્યાલ ન હોય તો વારો જતો રહે, સમયસર નાણા ખાતામાં જમા ન થાય. આમ અનેક પ્રકારની સમસ્યાઓ ખેડૂતોને ઉદ્ભવતી હોય છે. આથી ખેડૂતોને તાત્કાલીક સરકારે જાહેર કરેલ ખરીદીનો ભાવ તથા વજન પ્રમાણે જથ્થો ખરીદી કરવામાં સરળતા અને યોગ્ય ન્યાય તથા સહાયતા મળી રહે તેવી રજુઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial