Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુની વનવે પ્રથાની અમલવારી કરવા માંગણી
ખંભાળીયા તા. ૯: ખંભળાીયા શહેરમાં મુખ્ય બજાર શાકમાર્કેટ, સ્ટેટ બેંક પાસે જવાનો રસ્તો વર્ષોથી વનવે કરાયેલો પણ કેટલાક સમયથી તેનો અમલ ના થતા તથા હાલ તહેવારો નજીક હોય, આ રસ્તા પર રેંકડી ધારકો જ્યાં-ત્યાં ઊભતા તથા દશબાર ફૂટ પહોળા રસ્તા પર બન્ને તરફ દુકાનદારો દ્વારા બનાવાયેલા ઓટલા તથા પોતાના ટુ-વ્હીલર પાર્ક કરેલ સાંકડી જગ્યામાં બે રીક્ષા સામસામે આવે તો પણ લાંબો સમય ટ્રાફિક જામની સ્થિતિ થઈ જાય છે.
નગરગેઈટથી શરૂ થતો આ રસ્તો રામ મંદિર સુધી પહોળો છે. પણ બન્ને તરફ તથા વચ્ચે પણ રેંકડીધારકો રસ્તો સાંકડો કરે છે, તો આગળ સતવારા સમાજની વાડી, સતવારા ચોરા, મોહન પાનવાળાની દુકાન, રાજડારોડ વિગેરે સ્થળે રસ્તો સાંકડો હોય અને બન્ને તરફ રેંકડીવાળા રસ્તાને નડતરરૂપ ઊભતા હોય, રોજ નિયમિત ટ્રાફિક ચેકીંગ થાય તે જરૂરી છે.
આ રસ્તા પર થઈને ઝવેરીબજાર, મુખ્ય બજાર, સુપરમાર્કેટ, શાકમાર્કેટ, કલ્યાણરાજીય મંદિર, સ્ટેટ બેંક, સેન્ટ્રલ બેંક જેવા સ્થળોએ જવાનું હોય તો ખૂબ ભીડ રહેતી હોય, અગાઉ આ રસ્તો નગરગેઈટથી બજાર સુધી વનવે કરાયેલો તથા બજારમાંથી લુહારસાળ થઈને બરછા પાડામાં થઈ નગરગેઈટ આવવાનો વિકલ્પ રખાયેલો તેનો અમલ થાય તો આ ગંભીર ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ જાય તેમ હોય, તહેવારોને દરમિયાન ખાસ અમલની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial