Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વચ્છ જળ, સ્વચ્છ મન અન્વયે આયોજન
જામનગર તા. રરઃ સંત નિરંકારી મિશનના પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ જળ, સ્વચ્છ મન અન્વયે યોજનાનો દેશવ્યાપી પ્રારંભ સદ્ગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ, નિરંકારી રાજપિતા રમીત પાવન સાનિધ્યમાં તા. ર૩-ર-ર૦રપ અને રવિવારે થશે.
જામનગરના સ્થાનિય સંયોજક મનહરલાલ રાજપાલજીએ જણાવ્યા મુજબ દેશમાં ૧૬૦૦ સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.
જામનગર જિલ્લાના બાલાચડીમાં દરિયા કિનારે જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક વિગેરે ગંદકી સાફ કરવામાં આવશે.
સંત નિરંકારી મિશનના બાબા હરદેવસિંહજી મહારાજની પ્રેરણાદાયક શિક્ષાને આત્મસાત કરતા વર્ષ-ર૦ર૩ માં ભારત સરકારના સંસ્થાનોની પ્રોજેક્ટ અમૃતનો પ્રારંભ કરાયો હતો.
સંત નિરંકારી મંડળના સચિવ જોગીન્દર સુખીજાના જણાવ્યા મુજબ આ અભિયાનમાં દેશના ર૭ રાજ્ય, કેન્દ્રશાસીત પ્રદેશમાં ૭૦૦ થી વધુ શહેરમાં ૧૬૦૦થી વધુ સ્થાનો ઉપર એક સાથે કામગીરી થશે. જેમાં ૧૦ લાખ નિરંકારી ભક્તો સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial