Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની હોટલના રૂમમાં એ/સીમાં આગ

ફાયરબ્રિગેડ પહોચે તે પહેલા જ ઓલવી દેવાઈ

જામનગર તા. રરઃ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે એક હોટલના રૂમમાં એસીમાં અકસ્માતે આગ લાગી હતી. જેને સમયસર બુઝાવી દેવામાં આવી હતી. વધુ નુકસાની થતી અટકી હતી.

જામનગરની ગ્રેઈન માર્કેટ, પોટરીવાળી શેરીમાં આવેલ રાજધાની હોટલના એક રૂમના એ/સી  માં આગ લાગી હતી. થોડીક જ ક્ષણોમાં ધૂમાડાના ગોટા અને આગની જ્વાળાઓ નજરે ચઢતા નરત જ હોટલના સ્ટાફે આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતાં. અને બીજી તરફ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પરંતુ ફાયરબ્રિગેડની ટીમ પહોંચી એ પહેલા જ હોટલના સ્ટાફે આગને બુઝાવી દીધી હતી. આથી વધુ નુકસાની થતા અટકી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh