Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ કરી લીધાનો મુદ્દોઃ
જામનગર તા.૨૨ : જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી મયુર ટાઉનશીપમાં કોમન પ્લોટમાં દબાણ કરી લીધાની એક શખ્સ સામે કરાયેલી ફરિયાદ રદ્દ કરાવવા હાઈકોર્ટમાં પીટીશન કરાઈ હતી. તે પીટીશન રદ્દ થતાં સુપ્રિમ કોર્ટમાં પીટીશન પહોંચી છે. તે દરમિયાન આરોપીએ જામીનમુક્ત થવા જામનગરની અદાલત સમક્ષ કરેલી અરજી અદાલતે મૂળ ફરિયાદીની દલીલો ગ્રાહ્ય રાખી ફગાવી દીધી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા રે.સ. નં.૧૨૦૬માં રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલા પ્લોટ નં.૪/૧ માં રહેતા એક આસામીની બાજુમાં ગુજસી ટોકના આરોપી જયેશ મુળજીભાઈ રાણપરીયા ના ભાઈ ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા રહે છે. આ શખ્સે પોતાના પ્લોટ નં.ર અને ૩ની બાજુમાં આવેલા મયુર ટાઉન શીપના કોમન પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી લઈ તેમાં દરવાજો મૂકી દીધો હતો અને સીસીટીવી કેમેરા પણ ફીટ કરાવી દીધા હતા.
આ બાબતનો પાડોશીએ વિરોધ કરતા તેને ગાળો ભાંડી પોતે જયેશ રાણપરીયાનો સગો ભાઈ હોવાનો ડર બતાવતો હતો તેથી હેરાન થઈ ગયેલા પાડોશીએ પોતાનું મકાન અન્યને વેચી નાખ્યું હતું. તે પછી ધર્મેશ રાણપરીયાએ કરોડો રૂપિયાની કિંમતના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની ફરિયાદ કરાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપી ધર્મેશ રાણપરીયાની ધરપકડ પણ કરી હતી.
ત્યારપછી આરોપીએ તે ફરિયાદ રદ્દ કરાવવા હાઈકોર્ટમાં પીટીશન કરી હતી અને જામીન મુક્ત કરવા જામનગરની અદાલતમાં અરજી કરી હતી. તે દરમિયાન ફરિયાદ રદ્દ કરવાની પીટીશન હાઈકોર્ટે રદ્દ કરતા આરોપીએ તે પીટીશન દેશની સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરી હતી.
તેની સાથે જામનગરની કોર્ટમાં કરાયેલી જામીન અરજી અન્વયે મૂળ ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે ફરિયાદ રદ્દ કરાવવા હાઈકોર્ટમાં કરેલી પીટીશન રદ્દ થઈ છે. તેને ધ્યાને લેતા આ આરોપી સામેનો કેસ પ્રથમ દર્શનીય છે. જે જગ્યા બાબતે ફરિયાદ કરવામાં આવી છે તે જગ્યા બાબતે અગાઉ ફરિયાદી દ્વારા કલેકટર સમક્ષ ઓનલાઈન અરજી કરાઈ હતી અને કલેકટરની સમિતિએ તેની તપાસ કરતા તે જગ્યામાં દબાણ હોવાનું જણાઈ આવતા ફરિયાદ નોંેંધાવવા આદેશ કરાયો છે. તેથી આરોપીને જો જામીન પર છોડવામાં આવે તો તે ફરિયાદ પક્ષને ખૂબજ નુકસાન ગણાશે અને સાક્ષી ફોડવાનો પણ પ્રયાસ થઈ શકે છે. તે દલીલ સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, આ જગ્યા કોમન છે, તેમાં આરોપીએ કોઈ દબાણ કર્યું નથી, પૈસાની લેતી દેતીના મામલે આ કેસ કરાયો છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ધર્મેશ રાણપરીયાની જામીન અરજી રદ્દ કરવાનો આદેશ કર્યાે છે. મૂળ ફરિયાદી તરફથી વકીલરાજેશ ગોસાઈ, વિશાલ જાની, રજનીકાંત નાખવા, એચ.આર. ગોહિલ, નિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial