Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહર્ષિ ગર્ગાચાર્યજી આંગિરસ ગોત્રમાં જન્મ્યા હતા. તેઓ એક સુપ્રસિદ્ધ મન્ત્ર દ્રષ્ટા ઋષિ હતા. ઋગ્વે ના ૬/૪૭ સુક્તના દૃષ્ટા ગર્ગાચાર્યજી જ છે. ગર્ગાચાર્યજીનો સુપ્રસિદ્ધ આશ્રમ કુરુક્ષેત્ર પ્રદેશમાં દેવનદી સરસ્વતીના તટ પર હતો.
ગર્ગાચાર્યજીએ આ આશ્રમમાં રહી ઉગ્ર તપસ્યા વડે જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાનની પ્રાપ્તિ કરી અને જયોતિષ શાસ્ત્રના ઉત્તમ ગ્રંથોની રચના કરી. જેમાં 'ગર્ગ સંહિતો' નામના પરમ પવિત્ર ઐતિહાસિક ગ્રંથનો પણ સમાવેશ થાય છ. આ ગર્ગાચાર્યજી પરમ શિવભક્ત હતા. તેઓ મહારાજ પૃથુ અને યદુવંશીઓના ગુરૂ અને કુલપુરોહિત હતા. ભગવાન શ્રી કૃષ્ણની કુંડળી તેમણે બનાવી તેનો ફળાદેશ કરેલો. ગોત્રકાર ઋષિઓમાં પણ તેમની વિશિષ્ટ રૂપથી ગણના થાય છે.
ભગવાન શિવજીમાં અતુટ શ્રદ્ધા રાખી તેમની ભક્તિ કરનારા ગર્ગાચાર્યજીએ ભગવાન શિવજીની આરાધના વડે જ શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.
મહાભારતના અનુશાસન પર્વની કથા પ્રમાણે તેમણે પવિત્ર સરસ્વતી નદીના તટ પર શિવજીને પ્રસન્ન કરવા માટે માનસ યજ્ઞ કર્યો. ગર્ગાચાર્યજીના આ માનસ યજ્ઞની ભગવાન શિવજી અત્યંત સંતુષ્ટ થઈ પ્રસન્ન થયા. જ્યારે શિવજીએ ગર્ગાચાર્યજીને વરદાન માગવા કહ્યું ત્યારે ગર્ગાચાર્યજીએ દેવાધિદેવ મહાદેવ પાસે બે હાથ જોડી સ્તુતી કરી, પછી જ્ઞાન પ્રાપ્તિ માટે વિંનતી કરી.
ભગવાન શિવજીએ મહર્ષિ ગર્ગાચાર્યજીને પ્રસન્નચિત્તે ચોસઠ કળાઓનું અદ્ભુત જ્ઞાન પ્રદાન કરી આશીર્વાદ આપ્યા. શિવજીની કૃપાથી જ તેમને એક સરખા સહસ્ત્ર બ્રહ્મવાદી પુત્રોની પ્રાપ્તિ થઈ. પુત્રો સહિત દસ લાખ વર્ષનું આયુષ્ય તેમને પ્રાપ્ત થયું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial