Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઈટ્રામાં મૂત્રમાર્ગને લગતી સમસ્યા માટે વિનામૂલ્યે નિદાન-સારવાર

આગામી તા. ૨૫ અને ૨૬ એપ્રિલે આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩ઃ આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરમાં શલ્યતંત્ર વિભાગ દ્વારા તા. ૨૫  એપ્રિલ શુક્રવારે સવારે ૯ થી ૧૨ તેમજ ૪ થી ૬ અને તા ૨૬ એપ્રિલે સવારે ૯ થી ૧૨  દરમિયાન શલ્યતંત્ર ઓ.પી.ડી. નંબર  ૩, રૂૂમ નં-૨૦૧, બીજો માળ, ઓ.પી.ડી બ્લોક, પંચકર્મ ભવન, ધન્વન્તરિ મેદાન પરિસર, આઇ.ટી.આર.એ. માં મૂત્રમાર્ગને લગત સમસ્યાઓ માટે વિનામૂલ્યે નિદાન સારવાર સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મૂત્રમાર્ગના રોગો જેવા કે પ્રોસ્ટેટ ગ્રંથીનો સોજો, નળી અથવા કિડનીમાં પથરી, પેશાબની નળી સાંકડી થવી, વારંવાર પેશાબ કરવા જવું, રાત્રે ઊંઘમાંથી ઉઠી પેશાબ જવું, પેશાબમાં બળતરા-દુઃખવો અથવા લોહી આવવું, કિડની અથવા નળીમાં પથરી, પેશાબ અટકી-અટકીને આવવો તેમાં જોર કરવું, પેશાબની કોથળી સંપૂર્ણ ખાલી ન થવી વગેરે તકલિફો માટે બે દિવસીય નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ રહેશે અહીં આયુર્વેદ નિષ્ણાત તબીબ ડો. દુધમલ, ડો. જોશી અને ડો. મેઘાણી દ્વારા નિદાન સારવાર આપવામાં આવશે તેમાં દરદીએ જો હોય તો જૂના રિપોર્ટ સાથે લાવવાનો રહેશે. આ સુવિધાનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરી દ્વારા  જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh