Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં પ્રભાતફેરી-ધ્વજવંદન-સાંસ્કૃતિક કાર્યક્રમ

 જોડિયા તાલુકામાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી જીરાગઢ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. જોડિયાના મામલતદાર એમ.એમ કવાડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન ચનીયારા, જિલ્લા પંચાયત જામનગરના કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, તાલુકા વિકાસ અધિકારી આર.આર.ઠોરીયા, પોલીસ ઇન્સ્પેકટર રાજપૂત, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, એપીએમસી જોડીયાના ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ, વાઇસ ચેરમેન  ચિરાગભાઈ વાંક, પૂર્વ પ્રમુખ જેઠાભાઇ અઘેરા તથા તથા તાલુકાના અગ્રણી દામજીભાઈ ચનિયારા વિગેરે મહાનુભવો તથા મોટી સંખ્યામાં અધિકારી, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

જીરાગઢ ગામે સવારથી જ પ્રભાત ફેરી ત્યારપછી ધ્વજવંદન કાર્યક્રમ પછી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકો, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. શાળાના મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમજ જીરાગઢ પ્રાથમિક શાળા તથા મામલતદાર કચેરીને રોશનીથી શણગારી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh