Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના રેલવે સ્ટેશન પાસે રસ્તાના કામ સંદર્ભમાં ડાયવર્ઝનનું આયોજન

એક રોડ પર કામ ચાલે છે, બીજો રોડ સીંગલ છે, તેથી

ખંભાળીયા તા. રરઃ ખંભાળીયામાં રેલવે સ્ટેશન પાસે એક સાઈડ પર રોડનું કામ થતું હોય તેથી બંધ છે તથા બીજી સાઈડ સીંગલ હોય, રોજ એક બસ નીકળે અને સામે બીજું મોટું વાહન આવે તો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય, રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ મુલાકાત લઈ ટ્રાફિક પોલીસ તથા પાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળીયા રેલવે સ્ટેશનનું વિસ્તૃતિકરણ થતા રેલવે સ્ટેશન હાલના સ્ટેશન રોડથી ફાટક સુધીના રસ્તા પર રેલવે સ્ટેશન આગળ વિસ્તૃત થનાર હોય, તથા રેલવે સ્ટેશન હાલના રેલવે ક્વાટર સુધી પહોંચી જનાર હોય, રેલવે સ્ટેશન તરફ આવતા વાહનો રસ્તા પરથી જુના જકાતનાકા પાસેનો રસ્તો રેલવે ક્વાર્ટર આગળ જામનગર ફાટક રોડ પર નીકળે તેવું આયોજન ડાયવર્ઝન સાથેનું કરવા માટે રેલવે તથા પાલિકા તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh