Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતે પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા.રર : કાલાવડ શહેરના બાલંભડી રોડ પર આવેલા એક ખેડૂતના ખેતરમાંથી ગયા મહિનાની ર૭ તારીખની રાત્રે સાડા ત્રણેક વર્ષની પાડીને કોઈ શખ્સ છોડાવી ગયો છે. ખેડૂતે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ શહેરમાં રામમંદિર સામે ગ્રેઈન માર્કેટ રોડ પર વસવાટ કરતા વિનોદભાઈ લખમણભાઈ સાવલીયા નામના ખેડૂતની સાડા ત્રણેક વર્ષની પાડી ગઈ તા.૨૭ની રાત્રિથી બીજા દિવસની સવાર સુધીમાં તેમના કાલાવડ-બાલંભડી રોડ પર આવેલા ખેતરમાંથી કોઈ શખ્સ છોડાવી ગયો છે.
આ પશુની શોધખોળ કરવા છતાં નહીં મળતા આખરે વિનોદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ પાડી કાળી છે અને તેણીને સફેદ રંગનું પુછડુ છે તે ઉપરાંત બરડાના ભાગે ખરજવાનું નિશાન પણ આવેલું છે. કાલાવડ શહેર પોલીસે બીએનએસની કલમ ૩૦૩ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial