Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં માછીમારી કરતા મહારાષ્ટ્રના યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

અકળ કારણોસર યુવકે આત્મહત્યા કરી લીધીઃ

જામનગર તા.રર : ઓખા મંડળના એક દંગામાં માછીમારી માટે આવીને રહેતા મૂળ મહારાષ્ટ્રના એક યુવાને ત્રણ સપ્તાહ પહેલા કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા એક દંગામાં રહી માછીમારી કરતા મૂળ મહારાષ્ટ્રના ગીરગાંવના વતની સંતોષભાઈ જેઠુભાઈ દહોડા (ઉ.વ.૪પ) નામના માછીમાર ગયા મહિને ઓખાની અલ નબીશા બોટમાં માછીમારી માટે દરિયામાં ગયા હતા.

તેઓ ત્યાંથી પરત આવ્યા પછી શી ફૂડ નામના દંગામાં એક ઓરડામાં હતા ત્યાં ગઈ તા.ર૬ જાન્યુઆરીના દિને કોઈ કારણથી પંખાના હુંકમાં બ્લેન્કેટ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મહારાષ્ટ્રના સંદીપ દેવુભાઈ ફરડેએ પોલીસને જાણ કરી છે. પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh