Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે શીશ ઝુકાવ્યું

તાજેતરમાં જામનગરની મુલાકાત દરમ્યાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તાજેતરમાં જામનગર શહેરની મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેઓએ પોતાના કાર્યક્રમો પૂર્ણ કરી લીધા બાદ રવિવારે સાંજે જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરે મુલાકાત લીધી હતી, અને ત્યાં ભગવાન શ્રી રામચંદ્ર-લક્ષમણજી અને જાનકીજી ઉપરાંત બાલા હનુમાનજીની પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા. જેઓની સાથે જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જોડાયા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વગેરેએ સંપૂર્ણ બાલા હનુમાનજી મંદિર પરિસરની મુલાકાત લીધી હતી, અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પામેલી અને બ્રહ્મલિન પરમ પૂજ્ય પ્રેમભિક્ષુજી  મહારાજ પ્રેરિત' શ્રી રામ જય રામ જય જય રામ'ની અખંડ રામધૂનના જાપ વગેરે ની વિસ્તૃત માહિતી મેળવીને અભિભૂત થયા હતા.

આ સમયે તેઓની સાથે બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ અન્ય ટ્રસ્ટી ગણમાં કનુભાઈ કોટક, કિરીટભાઈ ભદ્રા, પાર્થભાઈ પંડ્યા,  વગેરે પણ જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh