Advertisement
Author: નોબત સમાચાર

લાંચ લેવાના આરોપમાં ફીશરીઝના અધિકારીનો છૂટકારો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરમાં ર૭ વર્ષ પહેલાં આવેલા વાવાઝોડા પછી માછીમારોને ઝાળ તથા બોટની ખરીદીમાં સબસિડી જાહેર કરાઈ હતી. જે તે વખતના ફીશરીઝ અધિકારી કેટલાક ખોટા બીલ મંજૂર કરવા લાંચ લેતા હોવાનો આરોપ મુકાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર શહેર-જિલ્લામાં વર્ષ ૧૯૯૮માં વાવાઝોડુ આવ્યું હતું. જેમાં થયેલા મોટા નુકસાનની સાથે કેટલાક માછીમારોના ઝાળી, બોટ સહિતના માલસામાનની પણ નુકસાની સર્જાઈ હતી. જે તે વખતે રાજ્ય સરકારે માછીમારોને બોટ અને ઝાળીની ખરીદીમાં ૫૦ ટકા સબસિડીની જાહેરાત કરી હતી. તે દરમિયાન કેટલાક આસામીઓએ રજૂ કરેલા બીલ ખોટા હોવાનું અને ફીશરીઝ વિભાગના અધિકારી કિરણ દલસુખભાઈ મહેતાએ તે બીલ મંજૂર કરી આપવા માટે લાંચ મેળવ્યાની વિગતો એસીબી સમક્ષ પહોંચતા એસીબીએ તપાસ શરૂ કરી હતી. એજન્સી, ફીશરીઝના અધિકારીઓ, અન્ય સાહેદોના નિવેદન નોંધી દસ્તવેજો કબજે કરાયા હતા. ત્યારપછી આ કેસ ચાલી જતા અદાલતે ફરિયાદ અને આક્ષેપ અનુસાર કોઈ પુરાવો ફરિયાદ પક્ષ લાવી ન શકતા અને આરોપી પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે ફીશરીઝના અધિકારી કિરણ દલસુખ મહેતાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશ્વિન મકવાણા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh