Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓપરેશન અખાલ એન્કાઉન્ટરમાં
શ્રીનગર તા. ૯: જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન અખાલ એન્કાઉન્ટર દરમિયાન ભારતના બે જવાનો શહીદ થયા હોવાનું જાણવા મળે છે.
જમ્મુ અને કાશ્મીરના કુલગામના અખાલ જંગલમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે સૈનિકો શહીદ થયા છે. ગઈકાલે કુલ ચાર સૈનિકો ઘાયલ થયા હતાં. લાન્સ નાયક પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ માહિતી શનિવારે સવારે આવી હતી.
ઓપરેશન અખાલ ૧ ઓગસ્ટથી ચાલી રહ્યું છે. આજે તેનો નવમો દિવસ છે. ર ઓગસ્ટના તેમાં ર આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર હતાં, જ્યારે અત્યાર સુધીમાં ૯ સેનિકો ઘાયલ થયા છે. તા. ર ઓગસ્ટની સવારે માર્યા ગયેલા આતંકવાદીમાંથી એકની ઓળખ પુલવામાના હારિસ નઝીર ડાર તરીકે થઈ હતી, જે સી-કેટેગરીનો આતંકવાદી હતો. હારિસ ૧૪ સ્થાનિક આતંકવાદીઓની યાદીમાં હતો જેમના નામ ર૬ એપ્રિલે પહલગામ હુમલા પછી ગુપ્તચર એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતાં. તેની પાસેથી એકે-૪૭ રાફઈલ, મેગેઝિન અને દારૂગોળો મળી આવ્યો હતો.
ઓપરેશન અખાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. જંગલમાં વધુ આતંકવાદીઓ છૂપાયેલા હોવાની શક્યતા છે. બન્ને બાજુથી ગોળીબાર ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial