Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના પાટનગર દિલ્હીમાં જંતરમંતરના મેદાનમાં ઈપીએફ-૯૫ પેન્શનના ન્યાય માટે રાષ્ટ્રીય સ્તરનું આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ત્રણ દિવસ સુધી જામનગર મજુર મહાજન સંઘના જનરલ સેક્રેટરી પંકજભાઈ જોષીની આગેવાનીમાં જીઈબી, એસ.ટી., ડી.સી.સી. વગેરેના નિવૃત્ત પેન્શનરો મહિધર શુકલ, દિપક ત્રિવેદી, નરસીભાઈ દાઉદીયા, અશ્વિન જાની, વિજયસિંહ જાડેજા, કિર્તી જોષી વગેરે જોડાયા હતા. ઈપીએફ-૯૫ પેન્શનર રાષ્ટ્રીય સંગઠન દ્વારા રૂા. ૭૫૦૦ લઘુતમ પેન્શન, મોંઘવારી ભથ્થુ, મેડિકલ સુવિધાઓ જેવી મુખ્ય માંગણીઓ અંગે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને ૨૪ સાંસદોનો ટેકો મળ્યો છે. જો સરકાર યોગ્ય નિરાકરણ નહીં લાવે તો વધુ ઉગ્ર લડતની ચિમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial