Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતીવાડી ખાતાની યોજનાઓ માટે
જામનગર તા. ૨૮: ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મળી રહે તે માટે તા. ૧૫-૫-૨૦૨૫ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે.
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આ આઈ-ખેડુત પોર્ટલ તા. ૧૫-૦૫-૨૦૨૫ સુધી દિન-૨૨ માટે ખુલ્લુ રહેશે. જેના પર ખેડૂતો ઓનલાઈન અરજીઓ કરી શકશે. પોર્ટલ પર અરજી કરતાં પહેલા ખેડૂતોએ મોબાઈલ નંબર નાંખી નોંધણી કરવી ફરજિયાત છે.નોંધણી થયા બાદ જ લાભ મેળવવા માટે ખેડુતો ઓનલાઈન અરજી કરી શકશે. પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા કે તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજુરી આપવામાં આવશે.આમ ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial