Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિહિપના વિભાગીય અધ્યક્ષની પોલીસમાં અરજીઃ
જામનગર તા.ર૮ : જામનગરના રણજીતસાગર રોડ પર પટેલ પાર્કમાં કેટલાક પુસ્તકોનું વિતરણ કરતા સ્ત્રી, પુરૂષો પાસેથી વિહિપના વિભાગીય અધ્યક્ષ અને અન્ય આગેવાનોએ વાંધાજનક લખાણવાળા પાંચ પુસ્તક કબજે કરી પોલીસને સોંપ્યા છે અને તપાસની માગણી કરી છે. આ વ્યક્તિઓ વેદ પુરાણથી વિરૂદ્ધના લખાણો વાળા પુસ્તકનું વિતરણ કરતા હોવાનું ખૂલ્યું છે.
જામનગરમાં રહેતા અને વિહિપમાં વિભાગીય અધ્યક્ષ તરીકે સેવા આપતા ભરતભાઈ ડાંગરીયા રવિવારે સવારે પોતાના કારખાને હતા ત્યારે કોલ આવ્યો હતો કે, પટેલ પાર્ક આસપાસના વિસ્તારોમાં મહિલાઓ અને પુરૂષો 'સંત રામપાલજી' લીખિત બુકો વેચાણ કરે છે. જેમાં સત્યથી વેગળુ અને વેદ પુરાણથી વિરૂદ્ધનું લખાણ લખેલુ છે.
ઉપરોક્ત વિગતોના આધારે ત્યાં દોડી ગયેલા ભરતભાઈ સહિતના વ્યક્તિઓએ જ્ઞાનગંગા નામનંુ પુસ્તક વેચી રહેલા વ્યક્તિઓની પૂછપરછ કરતા આ વ્યક્તિઓએ ગુલાબનગર સ્થિત આશ્રમથી આ બુક વિતરણ માટે આપવામાં આવી હોવાની વિગત આપી છે. તે તમામ પાંચ બુક પોલીસ સમક્ષ રજૂ કરી ભરતભાઈ ડાંગરીયાએ તપાસ માટે અરજી પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial