Advertisement
Author: નોબત સમાચાર

પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભોળેશ્વર દર્શન માટે પદયાત્રીઓના ઘોડાપૂર

હર...હર...મહાદેવ...

                                                                                                                                                                                                      

જામનગરથી રપ કિ.મી. દૂર નદીના કાંઠે આવેલ સુપ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવ મંદિરે દર વરસે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને દર્શન-પૂજા કરે છે. જેમાં ખાસ કરીને શ્રાવણ મહિનાના દરેક રવિવારે રાત્રે જ શ્રદ્ધાળુઓ ભાવિકો મોટી સંખ્યામાં પદયાત્રા શરૂ કરે છે અને વ્હેલી સવારે ભોળેશ્વર મંદિરે પહોંચીને મંગળા આરતીનો લાભ લઈ દર્શન-પૂજા કરે છે. આ વરસે પણ પ્રથમ સોમવારના દિવસે વ્હેલી સવારે દર્શન-પૂજા માટે રવિવારની રાત્રે પદયાત્રીઓના ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દર વરસની જેમ આ શ્રદ્ધાળુ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યા છે. જ્યાં પદયાત્રીઓ માટે ફળહાર, નાસ્તો, ચા-પાણી, ઠંડા પીણા, તબીબી સારવાર સહિતની સુવિધા રાખવામાંઅ ાવી છે. ઉપરોક્ત તસ્વીરોમાં ભોળેશ્વર મંદિરે જતા પદયાત્રીઓના સમૂહો તેમજ પદયાત્રાના રૂટ પર સેવા કરી રહેલા સેવાભાવિઓ નજરે પડે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh