Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તાપમાન અડધો ડીગ્રી ઘટ્યું: મહત્તમ ૩૧.પ ડીગ્રી

મેઘરાજાની હાથતાળી પ્રજાજનો નિરાશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરમાં ગોરંભાયેલા આકાશ વચ્ચે મેઘરાજાની હાથતાળીથી પ્રજાજનો નિરાશ થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧.પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા સતત થઈ રહ્યા છે. મેઘાવી માહોલ વચ્ચે માત્ર છાંટા પડવાનો દોર યથાવત્ રહ્યો છે. મેઘરાજા દ્વારા સતત અપાતી હાથતાળીથી નગરજનો નિરાશ થયા છે. નગરમાં મેઘાડંબર વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧.પ ડીગ્રી જ્યારે અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધરીતે ફૂંકાતા તેજીલા વાયરા અને મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh