Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના હરીપર પાસે બાઈક સાથે છકડો ટકરાઈ પડતા જામનગરના બે યુવાનને ઈજા

ભોળેશ્વર દર્શન કરવા જતાં યુવાનોને અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૮ : જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર હરીપર પાસે ગઈરાત્રે એક ડબલસવારી બાઈક સાથે છકડો ટકરાઈ પડતા બાઈકના ચાલકને ઈજા થઈ છે. નગરના બે યુવાન ભોળેશ્વર દર્શન કરવા જતા હતા ત્યારે સામેથી ધસી આવેલા છકડા એ અકસ્માત સર્જયો હતો.

જામનગરથી લાલપુર વચ્ચે આવેલા ભોળેશ્વર સ્થિત મહાદેવજી મંદિરે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના દર્શન કરવા માટે જામનગરથી ગઈરાત્રે બે યુવાનો બાઈક પર નીકળ્યા હતા.

તેઓ જ્યારે હરીપર ગામ પાસે પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલા શાક ભરેલા એક છકડાએ ઠોકર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. જે પુલ પર અકસ્માત થયો છે તે પુલ જર્જરીત હોવાથી પોલીસે ત્યાં સાવચેતીના પગલાંરૂપે બેરીકેડ મૂક્યા છે પરંતુ તેને અવગણીને છકડો પુરપાટ ઝડપે ધસી આવ્યો હતો અને બાઈક સાથે ટકરાઈ પડ્યો હતો. બાઈકચાલકને ગંભીર ઈજા થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh