Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે પ્રાંત અધિકારીનું માર્ગદર્શન

રાબેતા મુજબની મીટીંગમાં રાબેતા મુજબની ચર્ચાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૮: દ્વારકામાં આગામી જન્માષ્ટમી ઉત્સવના આયોજન અંગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

દ્વારકામાં આગામી તા.૧૬ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉત્સવ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવનાર છે, જેના સુચારૂ આયોજન અંગે પ્રાંત અધિકારી એ.એસ.અવતેની અધ્યક્ષતામાં દ્વારકા પ્રાંત કચેરીમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં દ્વારકામાં થનાર જન્માષ્ટમી ઉત્સવ ૨૦૨૫ની ઉજવણીને લગતી વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ભગવાનશ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા ભાવિકોને કોઈપણ અગવડતા ન પડે તેમજ યોગ્ય વ્યવસ્થા જળવાય તેમજ ટ્રાફિક, વાહન પાર્કિંગ વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક, વીજ પુરવઠો, સ્વચ્છતા, પીવાનું પાણી, લાઇટિંગ, પ્રાથમિક સારવાર, સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા, બેરીકેડિંગ, ક્રાઉડ મેનેજમેન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને આનુષાંગિક વ્યવસ્થાઓ તેમજ અન્ય તૈયારીઓ અંગે પ્રાંત અધિકારીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ, મામલતદાર જે.એન. મહેતા સહિત પોલીસ, પૂજારીઓ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh