Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી ગાંધી જયંતી દરમિયાન
ખંભાળિયા તા. ૧૬ઃ દ્વારકા જિલ્લામાં આવતીકાથી ગાંધી જયંતી દરમિયાન સ્વચ્છતા અને સેવા પખવાડિયું ઉજવાનાર છે, તેના આયોજન માટે કલેક્ટરે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. પ્રદેકિ નગરપાલિકા નિયામકે પણ માર્ગદર્શન આપ્યું હતું.
આવતીકાલથી ગાંધી જયંતી સુધી સ્વચ્છતા પખવાડિયું તથા સેવા પખવાડિયું યોજાનાર હોય, તેના સંદર્ભમાં તાજેતરમાં દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લાના સંકલનના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં તથા જુદા જુદા વિભાગો દ્વારા થનારી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તથા જરૃરી સૂચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તથા રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર મહેશ જાનીની ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લાની તમામ નગરપાલિકાઓ ખંભાળિયા, દ્વારકા, ઓખા, ભાણવડ, સલાયા તથા જામરાવલના પાલિકાના તમામ ચીફ ઓફિસરો તથા તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શહેરી વિકાસ વર્ષ ર૦રપ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા બાબતે કરવામાં આવનાર કામગીરી અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તથા પ્રાદેશિક ન.પા. નિયામક મહેશ જાની દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તથા સ્વચ્છતા જળવાય અને ગંદકી નાબૂદ થાય તે માટે સતત કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial