Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૬ લાખ વળતર પેટે ચૂકવવા આદેશઃ
જામનગર તા. ૯: ધ્રોલમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક સામે રૂા.૬ લાખના ચેક પરતની કોર્ટમાં કરાયેલી ફરિયાદ ચાલી જતાં આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબ વળતર ચૂકવી આપવા આદેશ કરાયો છે.
જામનગરના રાહુલભાઈ મેઘાભાઈ બથવાર પાસેથી ધ્રોલમાં રહેતા ગોવિંદભાઈ ડોસાભાઈ ચાવડાએ રૂા.૬ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે ગોવિંદભાઈ ચાવડાએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ગોવિંદભાઈ ડોસાભાઈ ચાવડાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા રૂા.૬ લાખ ત્રણ મહિનામાં વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કર્યાે છે. વળતર ન ચૂકવવામાં આવે તો વધુ ચાર મહિનાની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ મકસુદ બ્લોચ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial