Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલેરા સહિતના રોગચાળાના જોખમે તંત્ર નિદ્રાધીનઃ અનેક ફરિયાદો છતાં ૫રિણામ શૂન્ય
જામનગર નજીક જોગવડ ગામે કોલેરાનો કેસ સામે આવ્યો છે. અને ગામને કોેલેરાગ્રસ્ત તથા આસપાસના બે કિ.મી. ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે તંત્ર તાબડતોબ કામગીરી કરી રહ્યું છે પરંતુ શહેરમાં ગુલાબનગરમાં વૃંદાવન પાર્ક-૧ અને ૨માં કેટલાય સમયથી કોલેરા સહિતના રોગચાળાનું જોખમ હોવા છતાં તંત્ર ઊંઘમાં છે. અહીં ભૂગર્ભ ગટરના પાણી છલકાવાની સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો થઈ છે. ભૂગર્ભ ગટરના પાણીથી પીવાનું પાણી પણ પ્રદુષિત થતા લોકોના આરોગ્ય પર ગંભીર વિપરીત અસર પડી શકે છે. સ્થાનિકો સતત રોગચાળાના ખતરામાં જીવી રહ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. કદાચ કોલેરાનો એકાદ કેસ પણ નોંધાય પછી જ તંત્ર યુદ્ધના ધોરણે જાગશે અને પોતાની કામગીરી બતાવવા જાહેરનામાઓ બહાર પાડી આ વિસ્તારની નોંધ લેશે એવી ચર્ચા છે. તંત્રની નિંભરતાથી ત્રસ્ત અહીંના સ્થાનિકો તંત્રના ઊંઘમાંથી જાગવાની રાહ જુએ છે. રોગચાળો વકર્યા પહેલા તંત્ર જાગશે કે...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial