Advertisement
Author: નોબત સમાચાર

ભાવાભી ખીજડિયામાં દારૂનો નશો કર્યા પછી શ્રમિકે પીધી ઝેરી દવાઃ મૃત્યુ નિપજ્યું

જી.જી. હોસ્પિટલમાં અજાણ્યા પ્રૌઢનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: કાલાવડના ભાવાભી ખીજડીયા ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા પંચમહાલ જિલ્લાના શ્રમિકે નશાની હાલતમાં જંતુનાશક દવા પી લીધા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી બેશુદ્ધ હાલતમાં મળેલા અજાણ્યા પ્રૌઢનું મૃત્યુ થયું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં પરસોત્તમભાઈ અજુડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વતની શૈલેષભાઈ બાબુભાઈ ઉમા (ઉ.વ.૪પ) નામના શ્રમિકે ગયા બુધવારે શરાબનો નશો કર્યા પછી નશાની હાલતમાં જ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

તેની જાણ થતાં શૈલેષભાઈને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા સુમિત્રાબેન શૈલેષભાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલના પાર્કિંગ નજીક આવેલા શૌચાલય પાસેથી ગઈકાલે સાંજે પચ્ચાસેક વર્ષના એક અજાણ્યા પ્રૌઢ બેશુદ્ધ હાલતમાં મળી આવતા તેઓને સારવાર માટે ત્રણ નંબરના વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh