Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રોગચાળો વકર્યોઃ ડેન્ગ્યૂના દર્દીઓમાં જબરો વધારો

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. સરકારી, ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેમાં પણ ડેન્ગ્યૂનો ડંખ દર્દીઓને સતાવી રહ્યો છે.

જામનગરમાં રોગચાળો વકર્યો છે, જો કે તે સિઝનલ હોવાનું જોવા મળી રહ્યું છે, પરંતુ તાવ, શરદી, ઉધરસના કેસ સાથે ડેન્ગ્યૂના કેસમાં પણ જબરો વધારો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ દરરોજ ફક્ત ર૦ જેટલા ડેન્ગ્યૂના દર્દીઓ માત્ર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. તેમાંથી અડધા દર્ને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.

જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખામાંથી મળતી વિગત મુજબ છેલ્લા ૧પ દિવસમાં કેમ્પસના જ ર૦ કેસ નોંધાઈ ચૂક્યા છે, તો શહેરના અન્ય વિસ્તારના ૧પ દિવસમાં સાત કેસ ડેન્ગ્યૂના નોંધાયા છે.

જામનગરના રોગચાળાને કાબૂમાં લેવા માટે જંતુનાશક દવા નો છંટકાવ કરવાની જરૂર છે. ઉપરાંત સઘન સફાઈની પણ ખાસ જરૂરિયાત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh