Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૭ લાખના ચેક પરતના કેસમાં નગરના આસામીને એક વર્ષની કેદ

જૂનાગઢ કોર્ટ દ્વારા વળતરનો પણ આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના એક આસામી સામે જુનાગઢ કોર્ટમાં રૂ।.૭ લાખના ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા ચેકથી દોઢી રકમ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યાે છે.

જામનગરમાં વસવાટ કરતા ભરતભાઈ જાદવભાઈ ઉઘાડ નામના આસામીએ જુનાગઢના અશોકભાઈ મોહનભાઈ શેઠીયા નામના આસામી પાસેથી રૂ।.૭ લાખ ઉછીના લીધા હતા. બંસી સ્કૂલવાળા તરીકે ઓળખાતા ભરતભાઈએ તે રકમ પરત ચૂકવવા ચેક આપ્યો હતો.

ઉપરોક્ત ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફરતા જુનાગઢની કોર્ટમાં તેની ફરિયાદ કરવામાં આવી હતી. બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી ભરતભાઈ જાદવભાઈ ઉઘાડને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકથી દોઢ ગણી રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. નિયત સમયમાં દંડની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ બે મહિનાની સજાનો હુકમ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh