Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશભરની મહાનગરપાલિકાઓ અને રાજ્ય સરકારોનો સુપ્રિમ કોર્ટે જે મુદ્દે કાન આમળ્યો છે, તે સીધો જનતાને તો સ્પર્શે જ છે, પરંતુ 'સિસ્ટમ' માટે પણ શરમજનક ગણાય, જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત આ પ્રકારની ટકોર કરે, ત્યારે તેની દેશવ્યાપી અને દૂરગામી અસરો થતી જ હોય છે. સુપ્રિમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય તંત્રોને સાંકળીને જે વ્યાપક ટકોરો કરી છે, તે ઘણી વખત સામાન્ય જનતામાં પણ ચર્ચાતો વિષય છે, અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ટકોર જામનગર સહિત દેશભરની મહાનગરપાલિકાઓ અને મ્યુનિસિપાલિટીઓ તથા રાજ્ય-કેન્દ્ર સરકારોની ટોપ ટુ બોટમ બ્યુરોકેસીને પણ લાગુ પડે છે.
હકીકતે એક ચોક્કસની સુનાવણી દરમિયાન તાજેતરમાં બનેલી જીવલેણ હોનારતોને ટાંકીને સુપ્રિમ કોર્ટે આપેલી સૂચનાઓ કે આદેશોની અમલવારી સામે અત્યંત નારાજગી વ્યક્ત કરતા સુપ્રિમ કોર્ટે જે કાંઈ કહ્યું છે, જે દેશભરના શાસકો-પ્રશાસકો માટે ઝટકા સમાન તેમજ શરમજનક છે.
દિલ્હીના સાકેત વિસ્તારમાં જર્જરિત વિમાન ધરાશાહી થવી, માલવિયા નગરની આગ, લખનૌના અલીજંગના કોચિંગ સેન્ટરમાં લાગેલી ભયાનક આગ સહિતના ઘટનાક્રમોમાં તંત્રોની મિલીભગત, ભ્રષ્ટ નીતિ-રીતિ અથવા સખ્તાઈપૂર્વક અંગુલી નિર્દેશ કર્યો છે. દિલ્હીમાં ગેરકાયદેસર રીતે બહુમાળી ઈમારતો ખડકી દેવાઈ, અને તે તૂટી પડી, સાકેતની દુર્ઘટનામાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા, તો લખનૌની ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગ ૧પ નિર્દોષ લોકોને ભરખી ગઈ, તેવો ઉલ્લેખ કરીને સુપ્રિમ કોર્ટે સરકારી તંત્રોની આકરી ઝાટકણી કાઢી, તેને વ્યાપક આવકાર આપતા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટની બે જજોની બેન્ચે જ્યારે કહ્યું કે કાયદો માત્ર દેખાડો કરવા માટે નથી. અદાલતે કહ્યું કે તંત્રો દ્વારા માત્ર ફેઈસ સેવીંગ એક્સરસાઈઝ થઈ રહી છે, એટલે કે આ પ્રકારની દુર્ઘટનાઓને છાવરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અદાલતે સામાન્ય જનતામાં વ્યાપી રહેલી જનભાવનાઓ તથા આશંકાઓને વાચા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનાઓ પછી મકાનમાલિકો, બિલ્ડરો વગેરે સામે કાર્યવાહી થાય છે, પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ હોય, તે વિસ્તારના તદ્વિષયક સંબંધિત અધિકારીઓ સામે કોઈ પગલાં જ લેવાતા નથી, જે ઘણી જ ગંભીર બાબત ગણાય.
અદાલતે ગેરકાયદે બાંધકામોના સંદર્ભે પૂછ્યું કે, આ પ્રકારના ગેરકાયદે કૃત્યો-બાંધકામો પકડાય છે, ત્યારે માત્ર બિલ્ડરો સામે જ કાર્યવાહી થાય છે, પરંતુ પાયાના નિયમોના લીરેલીરા ઊડ્યા હોય, તેવા વિસ્તારોના સંબંધિત અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કેમ થતી નથી. દિલ્હી એમસીડીના અધિકારીઓની મિલીભગતથી જ બેફામ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા હોવાની ટકોર પણ થઈ હતી.
મે મહિનામાં અદાલતે આપેલી સૂચનાઓ તથા વ્યક્ત કરેલી ચિંતાઓમાં સર્વોચ્ચ અદાલતની નારાજગી સ્પષ્ટપણે પડઘાય છે. કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું કે જો આવું જ ચાલશે તો સીધી જ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરીને લેખિતમાં સ્પષ્ટ આદેશો અપાશે, જે ઘણાં લોકો (અધિકારીઓ) ને ભીંસમાં મૂકશે. અદાલતનો ઈશારો ભ્રષ્ટ તંત્ર અને નેતાગીરીની મિલીભગત તરફ હોય તેવો આભાસ ઊભો થયો હતો.
સર્વોચ્ચ અદાલતે હકીકતે ખૂબ જ કડક અભિગમ અપનાવીને દિલ્હીની આઈઆઈટીના બે પ્રોફેસરો તથા બે ડ્રાફ્ટ્સમેનની એક સ્પેશ્યલ ઈન્સ્પેક્શન ટીમ બનાવવાનું ફરમાન પણ કર્યું છે. આ ટીમ એમસીડીના અધિકારીઓ સાથે સંકલન કરીને ઉક્ત તમામ ગેરકાયદે બાંધકામોની તલસ્પર્શી અભ્યાસ કરીને પોતાનો અહેવાલ અદાલતને સુપ્રત કરશે, અને આ સમગ્ર પ્રક્રિયાનું નિયમન એડિશનલ સોલીશીટર જનરલને સોંપાયું, તે અદાલતની આ મુદ્દે ગંભીરતા દર્શાવે છે. આ સંબંધિત રાજ્યો ઉપરાંત તામિલનાડુની નવી સરકારને પણ તામિલનાડુમાં થયેલા ગેરકાયદે બાંધકામો સામે લેવાયેલા પગલાંનો રિપોર્ટ માંગ્યો છે.
આ તમામ સુનાવણી અને સુપ્રિમ કોર્ટનું સખ્ત વલણ 'સિસ્ટમ'ની નફ્ફટાઈ અને પોલંપોલને પણ ઉજાગર કરે છે.
આ દેશવ્યાપી મુદ્દો જે રાજ્યોના માધ્યમથી ચર્ચાયો અને સુપ્રિમ કોર્ટે એમસીડી અને દિલ્હીની રાજ્ય સરકારની સિસ્ટમને લતાડ લગાવી હોવાથી દિલ્હીની સર્વાધિક ચર્ચા થઈ રહી છે, અને ત્યાં 'ત્રિપલ' એન્જિનની સરકાર છે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ભાજપની તથા તામિલનાડુમાં નવી રાજકીય પાર્ટી સત્તામાં છે, તેથી સ્વાભાવિક રીતે જ તેની જ આલોચના સંભળાય, પરંતુ વાસ્તવમાં જામનગર, ગુજરાત સહિત દેશભરમાં મોટાભાગની મહાનગરપાલિકાઓ અને શાસન-પ્રશાસનમાં સમાન સિસ્ટોમેટિક સડો વ્યાપી ગયો છે, અને તે તમામ રાજકીય પક્ષોને 'ભેદી' કારનામાઓ દ્વારા ભેદી શકે છે, તેથી હવે જનતાએ જ વધુ જાગવાની જરૂર છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial