Advertisement
Author: નોબત સમાચાર

એનઆરઆઈની વસઈમાં આવેલી દસ વીઘા જમીન વેચી નાખવાના કેસમાં જામીન નામંજૂર

બારોબાર દસ્તાવેજ બનાવી જમીનનું કરાયું વેચાણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર નજીકના વસઈમાં એક એનઆરઆઈ આસામીની દસ વીઘા ખેતીની જમીન બારોબાર વેચી નાખવામાં આવી હતી. તેની ફરિયાદમાં પોલીસે તપાસ દરમિયાન બે આરોપીની ધરપકડ કરી હતી. જેલમુક્ત થવા આ આરોપીઓએ કરેલી જામીન અરજી નામંજૂર થઈ છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા વસઈ ગામમાં વર્ષ ૨૦૦૦માં મૂળ જામનગરના વતની અને હાલમાં ઈંગ્લેન્ડમાં રહેતા એક એનઆરઆઈએ દસ વીઘા ખેતીની જમીન ખરીદ કરી હતી. સમયાંતરે જામનગર આવતા રહેતા આ આસામીએ વર્ષ ૨૦૨૪માં પોતાની જમીનનું વેચાણ કરી નખાયું છે તેવી જાણ થઈ હતી.

જાણના પગલે આ આસામીએ પ્રાંત અધીકારી સમક્ષ અરજી કરી તપાસ કરાવતા તે જમીન ભગવાનજી હંસરાજ ગોરી નામના આસામીના નામને ટ્રાન્સફર થઈ ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું અને મુંબઈના અમીત દામજી શાહ નામના શખ્સે તેનો દસ્તાવેજ કરી આપ્યાનું ખૂલ્યું હતું. દસ્તાવેજમાં જામનગરના નવીન રામજી ગોરી, મુંબઈના યોગેશ કેશવજી શાહ સાક્ષી તરીકે હોવાનું જાણવા મળતા સિક્કા પોલીસ મથકમાં એનઆરઆઈ આસામીએ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં ભગવાનજી હંસરાજ ગોરી, વીનોદ પ્રેમજીની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજીઓ અદાલતે ડીજીપી જમન ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી નકારી કાઢી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh