Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૨૬: કાલાવડના વ્હોરાવાડમાં રહેતા એક યુવાન ગઈકાલે કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં એક ખેતર સ્થિત કૂવામાં કોઈ રીતે પડી જતાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના ભાઈનું પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
કાલાવડ શહેરના વ્હોરાવાડ વિસ્તારમાં આવેલી ખાટકીની બારી નજીક વસવાટ કરતા મૂર્તૂઝાભાઈ યુસુબભાઈ હીરાણી (ઉ.વ.૪૮) નામના વ્હોરા યુવાન ગઈકાલે સવારે કાલાવડ તાલુકાના મુળીલા ગામના ગનીપીરની દરગાહ નજીક ગોવિંદભાઈ ગોવાભાઈ નામના ખેડૂતના ખેતર પાસે હતા.
આ યુવાન કોઈ રીતે ત્યાં આવેલા કૂવામાં પડી જતાં તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ફકરૂદીન અબ્બાસભાઈ હીરાણીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial