Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં બુજડ-ભરાડા પરિવારો દ્વારા ર૮-જાન્યુ.ના જગત મંદિરે ધ્વજારોહણ

યજ્ઞોપવિત પ્રસંગે લોકડાયરો, દાંડિયારાસ, સૂકા મેવા મનોરથ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ર૬:    દ્વારકા યાત્રાધામમાં તા. ર૯ જાન્યુઆરીએ દ્વારકાના અનિલભાઈ પરસોત્તભાઈ બુજડના પુત્ર તથા સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ વિજયભાઈ બુજડના ભત્રીજા ધાર્મિક તેમજ વિજયભાઈ ગોપાલભાઈ ભરાડાના પુત્ર નયનના યજ્ઞોપવિત પ્રસંગે તા. ર૮-૧-ર૦ર૬ ને બુધવારના દ્વારકાધીશ જગતમંદિરે નૂતન ધ્વજારોહણનું ભવ્ય આયોજન થશે.

તદ્નુસાર તા. ર૮ મીએ બુધવારે બપોરે ૩ કલાકે ધ્વજાજીનું પૂજન, બપોરે ૩-૩૦ કલાકથી બાસબેન્ડના સથવારે ધ્વજાજીની શોભાયાત્રા યોજાશે. સાંજે પ કલાકે જગતમંદિરે ઠાકોરજીના ઉત્થાપન સમયે શ્રીજીને સુકા મેવા મનોથર યોજાશે. તેમજ જગતમંદિરે ધ્વજાજીનું નૂતન આરોહણ કરવામાં આવશે. રાત્રે ૯ કલાકથી આદિત્ય રોડ, શિતલા માતાજીના મંદિર પાસે, પ્રસાદીનું પણ આયોજન કરાયું છે. રાત્રિના ૮ કલાકથી ગુજરાતના પ્રખ્યાત લોકગાયકો ઉદયભાઈ ધાધલ એન્ડ ટીમ તથા વનિતાબેન પટેલના સથવારે લોકડાયરો તેમજ દાંડિયારાસનું પણ આયોજન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh