Advertisement
Author: નોબત સમાચાર

ચાની દુકાન બંધ કરી દેવાનું કહી તમાચણ ગામના યુવાન પર ત્રણ પુત્ર-પિતાનો હલ્લો

વચ્ચે પડનાર મહિલાને પણ માર મારવામાં આવ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના તમાચણ ગામમાં ચા વેચવાનું કામ કરતા એક યુવાનની દુકાને ગઈકાલે ધસી આવેલા ત્રણ પુત્ર-પિતાએ ગઈકાલે પવનચક્કીએ ચા આપવા કેમ ગયો હતો તેમ કહી ઢીકાપાટુ-ધોકાથી માર માર્યાે હતો. વચ્ચે પડનાર એક મહિલાને પણ ધોકાવાયા હતા.

જામનગર તાલુકાના તમાચણ ગામના રાકેશભાઈ પરસોત્તમભાઈ બોરીચા ગઈકાલે સવારે પોતાની તમાચણ ગામમાં આવેલી મોમાઈ જનરલ સ્ટોર નામની દુકાને હાજર હતા ત્યારે ચા બનાવી રહ્યા હતા.

આ વેળાએ ત્યાં ધસી આવેલા તમાચણ ગામના જ મશરૂ લધુભાઈ ચાવડીયા, વિશાલ મશરૂભાઈ, રવિ મશરૂભાઈ નામના ત્રણ પુત્ર-પિતાએ તું શનિવારે પવનચક્કીના કામ પર ચા આપવા માટે કેમ ગયો હતો તેમ કહી ગાળો ભાંડવા ઉપરાંત તારે ત્યાં ચા આપવા જવાનું નથી, ધંધો બંધ કરી દે તેમ કહી ધોકા, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો.

હુમલાખોર પૈકીના વિશાલ તથા રવિએ માથામાં ધુમ્બા માર્યા હતા. વચ્ચે પડનાર ભાનુબેનને પણ ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હતો. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાકેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh