Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આતંકી હુમલાના પગલે સુરક્ષા માટે
વાડીનાર તા. ર૮: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન વાડીનાર દ્વારા સલાયા, નાના અમલા, ભરણા, વાડીનાર અને શીખામાં ખાસ સમુદાય વાર્તાલાપ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતાં. વિવિધ મોટા-નાના બંદરો, ગીચ દરિયાઈ પ્રવૃત્તિઓ, મહત્ત્વપૂર્ણ ઓફશોર સ્થાપનો, ઉચ્ચ મૂલ્ય ધરાવતા ઉદ્યોગો, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન-અભિયારણ્ય અને યાત્રાધામો સહિત મહત્ત્વપૂર્ણ દરિયાકાંઠાના માળખાગત સુવિધાઓને કારણે ભૌગોલિક રીતે સંવેદનશીલ, આર્થિક રીતે મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ એવા એઓઆરમાં કોઈપણ અનિચ્છનિય ઘટનાને રોકવા માટે દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો કરવો જરૂરી છે.
સુરક્ષા વધારવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડે હિસ્સેદારો સાથે સંકલન કરીને સ્થાનિક લોકો અને માછીમાર સમુદસુરક્ષા પગલાં માટે ચેતવણી આપી છે. માછીમારોને પણ વિનંતી કરવામાં આવે છે કે શંકાસ્પદ બોટ-પ્રવૃત્તિઓ-ડ્રોન વગેરે જોવા મળે તો (જો કોઈ હોય તો) તાત્કાલિક ભારતીય કોસ્ટ ગાર્ડને ટોલ ફ્રી નંબર ૧પપ૪ અથવા નજીકની સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અને 'આંખ અને કાન' તરીકે કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial