Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ જતા યુવાનને સારવારમાં ખસેડાયોઃ
જામનગર તા. ૧૪: જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાં ત્રણ સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે એક રિક્ષાને મોટરે ઠોકર મારતા રિક્ષા ગોથું મારી ગઈ હતી. તેમાં બેસેલા યુવાનને પગમાં સળીયો તથા પ્લેટ નાખવા પડ્યા છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીક ગાયત્રીનગરમાં રહેતા ગોવિંદભાઈ ચનાભાઈ વાઘેલા નામના યુવાન અમદાવાદ જવા માટે નીકળ્યા પછી મગનભાઈ મહેતાની રિક્ષામાં સુભાષબ્રિજ તરફ જતા હતા.
તેઓ જ્યારે ત્રણ દરવાજા પાસે પહોંચ્યા ત્યારે જીજે-૩૪-એચ ૧૧૧૧ નંબરની મોટરે ઠોકર મારતા રિક્ષા ગોથું મારી ગઈ હતી. પગમાં ગંભીર ઈજા પામેલા ગોવિંદભાઈને પ્લેટ તથા સળીયો નાખવા પડ્યા છે. તેઓએ મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial