Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષ પહેલાં વાવાઝોડામાં થયું હતું નુકસાનઃ
જામનગર તા. ૧૪: જામનગરની એક હોટલમાં બે વર્ષ પહેલાં આવેલા વાવાઝોડાના કારણે નુકસાની થઈ હતી. તેનો ક્લેઈમ વીમા કંપની પાસે રજૂ થતાં વીમા કંપનીએ ઓછી રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. તેથી ગ્રાહક ફોરમમાં તેની ફરિયાદ થઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યાે છે.
જામનગરના તીનબત્તી વિસ્તારમાં આવેલી હોટલ કલાતીત ઈન્ટરનેશનલ દ્વારા ઈફ્કો ટોકીયો જનરલ ઈન્સ. કંપની પાસેથી વર્ષ ૨૦૨૩માં વીમો લેવામાં આવ્યો હતો. વીમો ચાલુ હતો તે દરમિયાન બીપોરજોઈ વાવાઝોડુ આવતા હોટલમાં નુકસાન થયું હતું.
ત્યારપછી રૂ.૨૦ ૮૦૧૮ની નુકસાની થયાનો ક્લેઈમ હોટલ દ્વારા કરવામાં આવતા વીમા કંપનીએ માત્ર રૂ.૯૪૯૫૬ ચૂકવવા તૈયારી દર્શાવી હતી. આથી હોટલ દ્વારા વીમા કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૧,૭૭,૬૨પ વ્યાજ સાથે ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચ તથા ત્રાસ બદલ રૂ.૮ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial