Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં 'પાર્કિંગ - નોપાર્કિંગ' ઝોન, વનવે તથા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા

જન્માષ્ટમીના તહેવારોમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૪: યાત્રાધામ દ્વારકામાં પાર્કિંગ-નોપાર્કિંગ ઝોન, વનવે તથા અન્ય કેટલાક પ્રતિબંધાત્ક આદેશો કરતા જાહેરનામાઓ પ્રસિદ્ધ કરાયા છે.

યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન યોગ્ય રીતે થઈ શકે અને ગેરવ્યવસ્થા અટકાવવા તેમજ સલામતીની દૃષ્ટિએ જિલ્લા પોલીસ વડા તરફથી મળેલ દરખાસ્ત અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી શહેરમાં આગામી તા. ૧ર-૮-ર૦રપ થી તા. ૧૭-૮-ર૦રપ સુધી શહેરના કેટલાક વિસ્તારોને પાર્કિંગ ઝોન તથા નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.

નો-પાર્કિંગ ઝોન

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરેલ જાહેરનામા અનુસાર દ્વારકામાં પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક સુધી, પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી પ૦ મીટર ત્રિજયામાં, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ, ઈસ્કોન ગેઈટ સુધી ૧૦૦ મીટરની ત્રિજયા, ત્રણબત્તી ચોકથી મહાજન બજાર ચારરસ્તા, ત્રણબત્તી ચોકથી ભદ્રકાલી રોડ પ૦ મીટરની ત્રિજયા, હોમગાર્ડથી ત્રણબત્તી ચોક, હોમગાર્ડ ચોકથી શાકમાર્કેટ ચોક સુધી પ૦ મીટર ત્રિજ્યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુનો વિસ્તાર પ૦ મીટર ત્રિજયા, એસ.ટી. ડેપોના આજુબાજુના વિસ્તાર ૧૦૦ મીટર ત્રિજયામાં, કિર્તિ સ્તંભ, ભથાણ ચોક, સુદામા ચોક, મટુકી ચોક અને ભદ્રકાલી ચોકની આજુબાજુનો ર૦૦ મીટરનો વિસ્તાર 'નો પાર્કિંગ ઝોન' તરીકે જાહેર કરાયો છે.

પાર્કિંગ ઝોન

આ સાથે જિલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસાર હાથી ગેઈટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું ખુલ્લુ મેદાન, શારદાપીઠ કોલેજનું ખૂલ્લું મેદાન, એસ.ટી. રોડ, રાજપુત સમાજ સામે ગોમતીઘાટ ખુલ્લું મેદાન, સ્વામિનારાયણ મંદિર પાછળનું ગ્રાઉન્ડ ફોર વ્હીલ, રાવળા તળાવ ગ્રાઉન્ડ, ઈસ્કોન ગેઈટ બાજુમાં અલખ હોટલની બાજુમાંથી થ્રીવ્હીલ તેમજ હેવી વાહનો માટે 'પાર્કિંગ ઝોન' તરીકે ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

મંદિર નજીકના મહત્ત્વના માર્ગો વનવે જાહેર

આ ઉપરાંત જન્માષ્ટમી તહેવારો દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજિ. દ્વારા શહેરના કેટલાક મહત્ત્વના માર્ગોને તા. ૧ર-૮-ર૦રપ થી તા. ૧૭-૮-ર૦રપ સુધી જાહેરનામા દ્વારા વનવે જાહેર કર્યા છે. જાહેરનામા અનુસાર જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા સુધી, ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધી પ્રવેશબંધી, માત્ર એક્ઝિટ તરીકે વનવે તરીકે ઉપયોગમાં લેવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

સુદર્શન સેતુ ઓખાથી બેટ-દ્વારકાધીશ મંદિર સુધી ભારે વાહનો તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ

આ ઉપરાંત જન્માષ્ટમી તહેવારો દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજિ. દ્વારા તા. ૧ર-૮-ર૦રપ થી તા. ૧૯-૮-ર૦રપ સુધી સુદર્શન સેતુ ઓખા તરફ આવેલ છેડેથી બેટ-દ્વારકાધીશ મંદિર સુધી ભારે વાહન, ટ્રક, ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જિલ્લા કચેરી દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થા જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ અપાયેલ છે.

ભીડવાળા વિસ્તારોમાં વાહનોની અવરજવર ન કરવીઃ જાહેરનામું

આગામી જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ટ્રાફિક વ્યવસ્થા જળવાય રહે તે હેતુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ તા. ૧ર-૮-ર૦રપ થી તા. ૧૭-૮-ર૦રપ સુધી યાત્રિકોની ભીડભાડવાળા વિસ્તારોમાં ટુવ્હીલ, થ્રી-વ્હીલ અને ફોર વ્હીલ તથા ભારે વાહનોના પ્રવેશ પર ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

તમામ વાહનો માટે પ્રતિબંધિત રૂટ

જે મુજબ હાથીગેઈટથી દ્વારકાધીશ મંદિર તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણચોક, કીર્તિ સ્તંભ, દ્વારકાધીશ મંદિર તરફ, મહાજન બજારથી દ્વારકાધીશ મંદિર તરફ, બ્રહ્મકુંડથી દ્વારકાધીશ મંદિર તરફ, ભથાણચોકથી દ્વારકાધીશ મંદિર તરફ, કીર્તિ સ્તંભ સર્કલથી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર તથા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.

થ્રીવ્હીલ, ફોરવ્હીલ તથા ભારે વાહનો માટે પ્રતિબંધિત રૂટ

આ ઉપરાંત ધીંગેશ્વર મંદિર સામેની ગલીથી દ્વારકાધીશ મંદિર તરફ, શાકમાર્કેટ ચોકથી મહાજન બજાર, નિલકંઠ ચોક, દ્વારકાધીશ મંદિર તરફ થ્રીવ્હીલ, ફોરવ્હીલ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.

ભારે વાહનો/બસ માટે પ્રતિબંધિત રૂટઃ

આ સાથે ઈસ્કોન ગેઈટથી ભથાણ ચોક, જોધાભા માણેક ચોક, દ્વારકાધીશ મંદિર તરફ, પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેઈટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક, ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કિટ હાઉસ ચાર રસ્તેથી મટુકી ચોક, ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્યાયામ તરફ જતા રસ્તે ભારે વાહનો તમામ તેમજ બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh