Advertisement
Author: નોબત સમાચાર

ક્રિષ્ના ટાઉનશીપ-૩માં ભક્તિભાવ સાથે નવરાત્રિ ઉત્સવ

ઉત્સવ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાઈઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં ક્રિષ્ના ટાઉનશીપ-૩માં નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના પ્રમુખ નરેશભાઈ બદીયાણીના અધ્યક્ષસ્થાને યુવાનોના સહયોગથી ભક્તિભાવ સાથે નવરાત્રિ પર્વ ઉજવાયુ હતું. આ નવરાત્રિ ઉત્સવના મુખ્ય યજમાન શ્રીમતી મણીબેન રમેશભાઈ કણઝારીયા તથા હિતેશભાઈ લાંબા (ગઢવી) પરિવાર દ્વારા ગરબે રમતી બાળાઓને લ્હાણી તેમજ તમામ ભક્તોને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય સહ યજમાનો દ્વારા લ્હાણી તથા ઠંડા-પીણા માટે સહયોગ મળ્યો હતો. મુખ્ય યજમાન દાતાઓનું સન્માન પ્રમુખ નરેશભાઈ બદીયાણી, ઉપપ્રમુખ બળવંતસિંહ જાડેજા, ખજાનચી કિશોરભાઈ પરમારના હસ્તે સોસાયટી વતી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમતી સોનુબેન બદીયાણીએ વિવિધ સ્પર્ધાઓ યોજી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh