Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે માર્ગદર્શનઃ
જામનગર તા. ૪: સમગ્ર રાજ્યમાં 'સ્વચ્છતા હી સેવા-ર૦રપ' કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલા હોમગાર્ડઝ કચેરીમાં સ્વચ્છોત્સવ-ર૦રપ અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ તમામ હોમગાર્ડઝના સભ્યોને દેશ, રાજ્ય, શહેર, મહોલ્લા, શેરીઓ અને ઓફિસ સહિત તમામ જગ્યાએ સ્વચ્છતા જાળવવાના શપથ લેવડાવ્યા હતાં. તેમણે હોમગાર્ડઝને ફરજ પર હોય ત્યારે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. જો કોઈ નાગરિક જાહેરમાં ગંદકી કરતા જણાય તો તેને પ્રેમથી સ્વચ્છતા રાખવા માટે સમજ આપવી.
આ ઉપરાંત રાષ્ટ્રીય તિરંગાનું માન જાળવી રાખવા અંગે વિશેષ ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, રસ્તામાં, ઓફિસમાં કે ઘર પર તૂટેલા કે રંગ ઉતરેલા તિરંગાઓ દેખાય તો જગ્યાના માલિકને સમજાવીને તેને માનભેર ઉતારી યોગ્ય રીતે નિકાલ કરવાની સમજણ આપવી. આ તકે હોમગાર્ડઝ સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial