Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' માં શ્રાવણનાં પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તિપર્વ ઉજવાયું: હર હર મહાદેવનાં નાદ સાથે શિવાલયોમાં જલાભિષેક માટે ભક્તો ઉમટ્યા

                                                                                                                                                                                                      

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં શ્રાવણ માસમાં શિવ આરાધનાની પાવન પરંપરા છે. આજે શ્રાવણ મહિનાનાં પ્રથમ સોમવારે નગરનાં શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, શ્રી વૈજનાથ મહાદેવ મંદિર વગેરે શિવાલયોમાં ભક્તોની કતાર જોવા મળી હતી. તુરંત આશીર્વાદ આપનારા ભગવાન આશુતોષ દેવાધિદેવ મહાદેવનાં જલાભિષેક માટે ભકતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નગરનાં દરેક નાના મોટા શિવાલયોમાં આજે શ્રાવણનાં સોમવાર નિમિત્તે મહાઆરતી તથા વિશેષ ઝાંખી સહિતનાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh