Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાત્રે ઘર છોડી ગયાની પિતાની કેફિયતઃ
જામનગર તા. ૧: લાલપુરના ચાર થાંભલા વિસ્તારમાં વસવાટ કરતા એક સંધી પરિવારનો બાવીસ વર્ષનો પુત્ર ગયા મંગળવારે રાત્રે પરિવારજનો સૂઈ ગયા પછી સવાર સુધીમાં ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
લાલપુર શહેરના ચાર થાંભલા વિસ્તારમાં આવેલી તબેલા શેરીમાં રહેતા ઈબ્રાહીમભાઈ હુસેનભાઈ સમા નામના પ્રૌઢનો બાવીસ વર્ષનો પુત્ર સાહિલ મંગળવારની રાત્રે અગિયાર વાગ્યા પછી પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો છે.
આ યુવાન પોતાના પરિવારના નિદ્રાધીન થયા પછી અગિયાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા દરમિયાન ઘર છોડી ગયો છે તેની શોધખોળ કરવા છતાં પત્તો નહીં લાગતા આખરે પિતા ઈબ્રાહીમભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial