Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી'માં ૬ દાયકાથી પણ વધુ સમયથી રામનામની અવિરત ગૂંજ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં તળાવની પાળે આવેલ શ્રી બાલા હનુમાન મંદિરે બ્રહ્મલીન શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા જગવવામાં આવેલ 'શ્રી રામ જય રામ જય જય રામ'ની અલખ છેલ્લા ૬૧ વર્ષથી અવિરત જાગૃત છે. અખંડ રામધૂનનો આજે ૬૨માં વર્ષમાં પ્રવેશ થતા ભગવાનની વિશેષ શ્રૃંગાર અર્પણ કરવામાં આવવ્યા હતાં તથા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ પણ વિશેષ રામધૂનમાં જોડાયા હતાં. ઈશ્વર સ્વરૂપ ભૂલકાઓની પ્રાર્થનાથી ભક્તિમય વાતાવરણ વધુ પાવન થયું હતું. આજે સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા ભક્તોને મહાઆરતીનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial