Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર નગરપાલિકામાં સ્વચ્છતા કર્મીઓના સન્માન સમારોહનું આયોજન

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે

                                                                                                                                                                                                      

જામજોધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે જામજોધપુર નગર પાલિકાના સભાહોલમાં સ્વચ્છતા કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, ડોર-ટુ-ડોરના ડ્રાઈવરો, ભૂગર્ભ શાખાના કર્મચારીઓ, તમામ સુપરવાઈઝરો સહિત ૨૭ જેટલા કર્મચારીઓને સ્વચ્છતા અંતર્ગત સારી કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંંગે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં જામજોધપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, અગ્રણીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh