Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્દીઓ સાથે સંવેદનશીલતાથી વર્તવા, સમસ્યા સમજવા
જામનગર તા. ૧૦: રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 'આરોગ્યસાથી પ્રોજેક્ટ' અંતર્ગત જામનગરની ગરૂ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓ માટે સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૧૮-૮-૨૫ થી તા. ૨૫-૯-૨૫ સુધી ચાલેલી આ તાલીમ શિબિરમાં કુલ ૧૭ બેચમાં ૪૫૫ કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ વર્કશોપનું મુખ્ય ફોકસ દર્દી સહાનનુભૂતિ, ભીડ વ્યવસ્થાપન અને માનવીય અભિગમ જેવા અગત્યના મુદ્દાઓ પર રહ્યું હતું.
આ તાલીમ આરોગ્ય સાથી પ્રોજેકટના ટ્રેનર્સ વિપુલ પંડયા અને વૈશાલી ચુડાસમા દ્વારા આપવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના ફ્રન્ટલાઈન કર્મચારીઓ જેવા કે સફાઈ કર્મચારીઓ, સિક્યોરિટી ગાર્ડ તથા કેસ વિન્ડો એપરેટર્સને વિશેષ માર્ગદર્શન પુરૃં પાડવામાં આવ્યું હતું. તેમને હેલ્થ કેર સર્વિસમાં દર્દીઓ સાથે સંવેદનશીલતાથી વર્તવા, તેમની સમસ્યાઓ સમજવા અને માનવીય અભિગમ સાથે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા અંગે માહિતગાર કરાયા હતા.
મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. દિપક તિવારી, અધિક તબીબી અધિક્ષક ડો. દિલીપ ગોહિલ, આર.એમ.ઓ. ડો. પી.આર. સકસેના, સિકયોરિટી નોડલ ઓફિસર ડો. અજય તન્ના, અને એ.એચ.એ. મયુરી સામાણીના સંકલન હેઠળ આયોજિત આ શિબિરના અંતે, દરેક બેચના તાલીમાર્થીઓને અધિકારી ઓના હસ્તે સર્ટિફિકેટ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ભેટ એનાયત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial