Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા
જામનગર-લાલપુર ગઈ રાત્રે જાહેર માર્ગે ખડકાયેલી રેંકડીઓને દૂર ખસેડવાની કામગીરી સાથે એસ્ટેટ શાખાએ કેટલીક રેંકડીઓ કબજે પણ કરી હતી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી એસ્ટેટ શાખા સતત દોડતી રહે છે અને જાહેર રોડ ઉપર કરવામાં આવતા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે સાંજે એસ્ટેટ શાખાનો સ્ટાફ લાલપુર માર્ગે ત્રાટક્યો હતો અને અનેક ખાણીપીણીની રેંકડીઓ સહિતના ધંધાર્થીઓને દૂર ખસેડતા નાશભાગ મચી જવા પામી હતી. આ સમયે અનેક રેંકડીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત એસ્ટેટ શાખાના કર્મચારી અને અમુક રેંકડીધારકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થવા પામી હતી, જો કે એસ્ટેટ શાખાએ મચક આપ્યા વગર કામગીરી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial