Advertisement
Author: નોબત સમાચાર

સલાયાઃ કીડીયારૃં પૂરવા ખોરાક ભરેલા નાળિયેર મૂકાયા

                                                                                                                                                                                                      

સલાયા તા. ૨૮: ચૈત્રી અમાસના સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલ પરિવાર દ્વારા કીડિયારૃં પૂરવા માટે ગડગડિયા શ્રીફળ લઈ અને તેમાં તલ, ખાંડ, રવો, ઘી અને ચોખાનો લોટ ભરવામાં આવ્યો હતો. આ શ્રીફળને રોડ ઉપર તેમજ વાડીઓમાં આવેલ વૃક્ષોના થડ પાસે તથા દીવાલની સાઈડમાં મૂકવામાં આવેલ હતા. આ એક નારિયેળમાં હજારો કીડીઓ પોતાના માટે ખોરાક મેળવે છે. આ સેવા કાર્યમાં જલારામ સેવા સમિતિ તેમજ રામનાથ મિત્ર મંડળે સેવા આપી હતી. જેમાં રામનાથના હિતેષભાઈ બથિયા, મુકેશ બથિયા, કમલેશ રાયઠઠ્ઠા, સંજયભાઈ પંચમતીયા જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh