Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયનાન્સ પેઢીએ કરી હતી ફરિયાદઃ
જામનગર તા.ર૮ : જામનગરના બે આસામી સહિત કેટલાક વ્યક્તિઓ સામે લોનવાળા વાહન વેચી નાખી લોન ન ભરપાઈ કરવા અંગે ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના મનુભા નાથુભા જાડેજા, સુભાષસિંહ માનસિંહ ભટ્ટી વગેરેએ મહિન્દ્રા ફાયનાન્સ કંપનીમાંથી જુદા જુદા વાહન ખરીદવા માટે લોન મેળવ્યા પછી તેના હપ્તા ભરપાઈ કર્યા વગર તે વાહનો અન્યને વેચી નાખી ગુન્હો આચર્યાે હોવાની ફરિયાદ કરાઈ હતી.
પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૧, ૪૨૪, ૧૧૪, ૩૪ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ લખધીરસિંહ ગોહિલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial