Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવા મહિના પહેલાં કરાયો હતો હુમલોઃ
જામનગર તા. ૭: જામનગરમાં વિભાજી સ્કૂલ પાસે સવા મહિના પહેલાં મોડીરાત્રે એક યુવાન પર થયેલા હુમલાના બે આરોપીએ જેલમુક્ત થવા કરેલી જામીન અરજી અદાલતે નામંજૂર રાખી છે.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભોલેનાથ ડીસ ગોલાની દુકાન ચલાવતા ભરત ભલાભાઈ કોળી નામના યુવાન પર ગઈ તા.ર૪ જુનની રાત્રે રાહુલ રાઠોડ, મયુર રાઠોડ, રોનક સુનિલ સોલંકી, કિશન નરેન્દ્ર રાઠોડ નામના ચાર શખ્સે પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો.
ઉપરોક્ત ફરિયાદ પોલીસમાં થતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી આરોપી રોનક સોલંકી અને કિશન રાઠોડે જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીની અરજી નકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial