Advertisement
Author: નોબત સમાચાર

ઝઘડો કરતા શખ્સોને સમજાવવા ગયેલા યુવાન પર તલવાર-ઢીકાપાટુથી કરાયો પ્રહાર

ચાર શખ્સે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના ગરીબનગર પાણાખાણમાં શનિવારની રાત્રે એક યુવાન સાથે ઝઘડો કરતા ત્રણ શખ્સને સમજાવવા ગયેલા એક યુવાન પર ચાર શખ્સે ઢીકાપાટુ તથા તલવારથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

જામનગરના ગરીબનગર પાણખાણમાં વસવાટ કરતા ફારૂકભાઈ હનીફભાઈ ચાવડા ગયા શનિવારે રાત્રે ગરીબનગરમાંથી પસાર થતા હતા ત્યારે હુસેની ચોકમાં ત્રણ શખ્સ આરીસ નામના એક યુવાન સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા.

ત્યાં ગયેલા ફારૂકભાઈએ ઝઘડો ન કરવાનું કહેતા સુલતાન અનવર સમેજા, કબીર જાફરભાઈ સમેજા, ફારૂક દાઉદ સમેજા અને સીકંદર અનવર સમેજા નામના ચાર શખ્સે ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડ્યા પછી સુલતાન તથા ફારૂકે ઢીકાપાટુથી ફારૂકભાઈ હનીફભાઈ પર હુમલો કર્યાે હતો. જ્યારે કબીરે તલવારથી માથામાં ઈજા પહોંચાડી હતી અને સીકંદરે ઢીકાપાટુ વરસાવ્યા હતા. વચ્ચે પડેલા આરીસને પણ આ શખ્સોએ ધોકાવી નાખ્યો હતો. સારવારમાં ખસેડાયેલા ફારૂકભાઈએ ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh