Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જુની સાધના કોલોનીના ફ્લેટધારકોને નોટીસો અપાતા કચવાટ

હાઉસીંગ બોર્ડને આ અંગે પુનઃ વિચારણા કરવા રજૂઆતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જુની સાધના કોલોનીના ફ્લેટધારક અને દુકાનધારક હિતરક્ષક સમિતિ દ્વારા સાધના કોલોનીના ફ્લેટધારકોને અપાયેલ નોટીસ અંગે રજૂઆત કરવામાં આવી છે.

રણજીતસાગર રોડ પરની હાઉસીંગ બોર્ડની વસાહત છે જેને સાધના કોલોની તરીકે ઓળખવામાં આવે છે, જ્યાંના જુના-જર્જરિત મકાન અંગે હાઉસીંગ બોર્ડ (રાજકોટ) દ્વારા નોટીસો પાઠવાઈ છે.

જર્જરિત મકાન છે તેની સરકારી પદ્ધતિ શું છે? ફક્ત ફોટા પાડીને કામગીરી થાય છે? સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માન્ય સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે? તો તેની નકલ આપવા માંગ કરાઈ છે.

ચાલુ વરસાદે આ વિસ્તારમાં ગરીબ-મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. આથી આવી નોટીસ બાબતે ફેરવિચારણા કરવી જોઈએ, તેમ એક રજૂઆતમાં શૈલેષ મારૂએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh