Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાઈ કર્ટન ટેઈઝીંગ સેરેમની

એકતાબા સોઢાના હસ્તે ઉદ્ઘાટન

                                                                                                                                                                                                      

જામનગર તા.૭: જામનગર તા.૭: જામનગરની સૌથી પ્રીમિયમ અને આતુરતાપૂર્વક રાહ જોવાતી નવરાત્રિ રાસ રંગ દ્વારા તાજેતરમાં સૈયાજી હોટેલમાં ભવ્ય કર્ટન રેઈઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું ઉદ્ઘાટન સામાજિક કાર્યકર એકતાબા સોઢાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કર્ટન રેઇઝિંગ સેરેમની દ્વારા રાસ રંગ નવરાત્રિ ૨૦૨૫ના ભવ્ય ઉજવણીનો શરૂઆત સંકેત આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આ વર્ષના થિમ, કલાકાર લાઇનઅપ અને ખાસ આયોજનની  ઝલક આપવામાં આવી હતી.

રાસ રંગ નવરાત્રિનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાગત ગરબાની મહેકને ફરી જીવંત કરવામાં આવે. વર્ષે વર્ષ પ્રીમિયમ અનુભવ આપતી રાસ રંગ નવરાત્રિ, આ વર્ષે પણ નવા માપદંડો સ્થાપિત કરવાની તૈયારીમાં છે. આગામી નવરાત્રિની ઉજવણી માટે જમાવટ શરૂ થઈ ગઈ છે.

 આ પ્રંસગે સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને આગેવાનોની ઉપસ્થિતિમાં રાસરંગની ટીમના યુવા ભાઈ-બેહનો દ્વારા સાંસ્કૃતિક ગરબા અને ફેશન શો રજૂ કરવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh